Ambalal Patel Mahiti : શું તમે જાણો છો કોણ છે અંબાલાલ પટેલ? : તે હવામાન નિષ્ણાત કેવી રીતે બન્યા ? : પ્રથમ આગાહી કયા વર્ષમાં કરી હતી ?

અંબાલાલ નું પુરુ નામ

Ambalal Patel : અંબાલાલા દામોદરદાસ પટેલ

અંબાલાલ પટેલ (Ambalal Damodardas Patel)નો જન્મ

પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો

અંબાલાલ પટેલ  નો અભ્યાસ”

અંબાલાલા પટેલે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચર (B.Sc agriculture)માંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે

અંબા લાલ સોપ્રથમ નોકરી ક્યાં કરી હતી :

અંબા લાલ સોપ્રથમ નોકરી 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર (Agriculture supervisor) તરીકે જોડાયા હતા. જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.(Ambalal Patel)

હવામાન નિષ્ણાત કેવી રીતે બન્યા ?

Ambalal Patel જ્યોતિષ વિષયમાં પણ રસ ધરાવે છે. તેઓ ખેડૂતો ની સાથે મુલાકાત કરતા હતા ત્યારે તેઓ ખેડૂતો નાં પાકને લઈને ચર્ચા કરતા હતા.કોઈ પણ સારા પાક માટે વરસાદની જરૂર ખાસ હોય છે.  અને ત્યારે ખેડૂત તો નાં પાક અને વરસાદની વાત થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે જો હવામાનવી શે જાણીએ કે કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે અને કે વો પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની ઉપયોગી થઈ શકે છે.

અંબાલાલ જ્યોતિષ શાસ્ત્ર નો અભ્યાસ કરવા માટે ની કેટલીક પુસ્તકો ના નામ જાણીએ.

Ambalal Patel જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ત્યારે કેટલીક બુક જેવીકે  વારાહી સંહિતા, વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ,  વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

વાંચો : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઘરબેઠા

અંબાલાલ પટેલે સૌ પ્રથમ આગાહી ક્યારે કરી હતી

અંબાલાલ પટેલે સૌ પ્રથમ આગાહી હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ વરસાદ,ગરમી ઠંડી, અને વાતાવરણમાં ક્યારે ફેર ફાર આવશે તેની અગાઉથી આગાહી કરી દે છે. સાથે જ્યોતિષ પંચાંગ, માસિક, સાપ્તાહિક, દૈનિક, વગેરેમાં લેખો લખવાનું શરૂ કર્યું હતું.

અંબાલાલ પટેલે આગાહી કરવા બદલ ધરપકડ

અંબાલાલ પટેલે હવામાન ની આગાહી ની સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી. એ સમયે કેશુભાઈ પટેલની સરકાર હતી. અંબાલાલ પટેલની ભૂકંપની અગાહીને લઈ સરકાર દોડતી થઈ ગઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદમાં અંબાલાલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

અંબાલાલ પટેલ ને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા તે ક્યાં ક્યાં છે તેના વિષે જાણીએ?

અંબાલાલ પટેલને અનેક એવોર્ડ થી સન્માનિત કર્યા છે જેમ કે.સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ ,જયોતિષ સંસ્થા ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદશન મેળવતું રહ્યું છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલ ની જીવન કથા

અંબાલાલ પટેલ નાં પરિવાર વિશેની માહિતી

અંબાલાલ પટેલના પરિવારમાં તેમના પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપી છે. હાલ રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રા માં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. બીજો દીકરો સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે. અંબાલાલ પટેલનો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ઓળખ મળી છે.

ambalal patel mahiti
ambalal patel mahiti

Leave a Reply

%d bloggers like this: