what is Organic Farming ? ઓર્ગેનિક ખેતી એટલે શું ?
Organic Farming : ઓર્ગેનિક ખેતી એટલે શું ? આપણે એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. અહીં ઓર્ગેનીક એટલે પ્રાકૃતિક શબ્દ માં જ એનો જવાબ છે. “ઓર્ગેનિક ખેતી” સંપૂર્ણ કુદરત પર આધારીત ખેતી એવી ખેતી કે જેમાં આજના યુગ ની બનાવટી ચીજ વસ્તુ નો ઉપયોગ કરવામાં ના આવતો હોય. ઓર્ગેનિક ખેતી ને “ગાય આધારિત ખેતી” પણ કહવામાં આવે છે. ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂત બજાર માં મળતી વિવિધ રાસાયણીક દવાઓ અને રાસાયણીક ખાતર નો વપરાસ પોતાના ખેતર માં કરતો નથી તે પોતાના ખેતર માં માત્ર પશુ આધારીત પોસક તત્વો ઉમેરી ખેતી કરે છે.(Organic Farming)

ઓર્ગેનિક ખેતી નો ઉદભવ અને મહત્વ
Organic Farming કોઈ નવી પધ્ધતી નથી પરંતુ વેદીક કાળથી ચાલી આવતી ખેતી ની ઉત્તમ પધતી છે.Organic Farming પ્રકારની ખેતી આપના ઋષીમુનીઓએ આપણને સમજાવી અને સિખવાડી છે.Organic Farming માં માત્ર માનવ જાત જ નહી પરંતુ પશુ , પક્ષી નો પણ ધ્યાન રાખવામા આવેલ છે.આ સમગ્ર સૃષ્ટી પર સૌનો નિર્વાહ કરનાર જમીન છે એટલે જ ધરતીને માતા કહી છે . અખાત્રીજના દિવસે ખેડૂત ધરતીમાતાનું પૂજન કરે છે “Organic Farming” માં ગાયનું ખુબ મહત્વ છે. તેથી જ ગાયને કામધેનુ કહી છે. આજના જડપી યોગ માં લોભ અને લાલચ ના લીધે જમીન નું કાયમી નુકશાન થાય છે. જમીન ની ફળદ્રુપતા ઘટતી જાય છે.પરંતુ પાકૃતિક કૃષિ જમીન ને ફળદ્રુપ અને સ્વસ્થ રાખવામાં ખૂબ મહત્વનું પરિબળ બની રહ્યું છે. આપણે ત્યાં જૂના કાળથી આરોગ્યપ્રદ અને શુધ્ધ ખોરાકનો મહિમા કહેવામાં આવ્યો છે. આપણે ત્યાં કહેવત છે કે જેવું અન્ન તેવું મન ,અન્ન એવો ઓડકાર અને અન્ન એજ ઔષધ.એટલેકે શુદ્ધ અને પ્રાકૃતિક ખોરાક એજ જીવનને સ્વસ્થ રાખવા પુરતું છે . પ્રાકૃતિક ખેતી આવા શુધ્ધ અને આરોગ્યપ્રદ ખોરાકનું ઉત્પાદક છે . હવે લોકોનું ધ્યાન ઓર્ગેનિક ખોરાક પર ગયું છે. પરિણામે Organic Farming ને પ્રોત્સાહન મળી રહ્યું છે.(Organic Farming)
ઓર્ગેનિક ખેતી ના ફાયદા
ઓર્ગેનીક ખેતી થી અનેક ફાયદાઓ થાય છે જેમાં કે ….
- Organic Farming માં કોઈ પણ પ્રકારના રાસાયણીક દવા કે ખાતર નો પ્રયોગ થતો નથી જેથી ઉત્પાદન થનાર અનાજ , શાકભાજી , મસાલા ભરપૂર સ્વાદ વાળા અને આરોગ્ય ને બિલકુલ નુકશાન ના પહોચાડ નાર થાય છે.
- Organic Farming માં વૃક્ષોનું મહત્વ હોઈ વાતાવરણ ને પણ ફાયદો થાય છે અને નિયમિત વરસાદ થવાનું થઈ જાય છે.
- Organic Farming માં ગાયનું ગૌ મૂત્ર ,છાણ ,વનસ્પતિનાં પાંદડાં અને કુદરતી માત્ર છાણીયા ખાતરનો ઉપયોગ થતો હોઈ જમીનને તંદુરસ્ત રાખે છે . એટલેજ માટી બચાવો અભિયાન માં માત્ર “ઓર્ગેનિક ખેતીજ ” કારગત નીવડી શકશે.(Organic Farming).
- Organic Farming માં રાસાયણીક ખાતર અને દવાનો ખર્ચ શૂન્ય થતો હોય ખેડૂત ને આર્થીક રીતે ફાયદો થાય છે.
- Organic Farming ગાય આધારીત ખેતી હોઈ ખેડૂત પરિવાર દેશી ગાય પાળતો થયો છે. ગાય આધારીત ખેતી કરતાં ખેડૂતો ને સરકાર એક ગાય દીઠ ૯૦૦/- રૂપિયા નિભાવ ખર્ચ પેટે આપે છે જેથી ખેડૂતને ગાય પાળવાનો ખર્ચ થતો નથી .
- ખેડૂતે Organic Farming થી ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદન વેચવાની વ્યવસ્થા અને બજારભાવ કરતાં પણ સારા ભાવ મળી શકે છે ,જેનાથી ખેડૂતને આર્થીક ફાયદો થાય છે.
- રાસાયણીક ખાતર અને દાવો ઉપયોગ ના થવાથી જમીન ની ફળદ્રુપતા વધતી જાય છે.
ઓર્ગેનિક ખેતીના ગેરફાયદા
Organic Farmingમાં શરૂઆતમાં ઉત્પાદન ઓછું આવે છે જે કેટલાક ખેડૂતોને માટે ખોટનો ધંધો સાબિત થઈ શકે છે. આપણા દેશમાં હવે વસ્તી વધારો થતા ખેતરો નાના થઈ ગયા છે અને ખેડૂતો નાના થઈ ગયા છે. ખેતીમાંથી એક બે વર્ષ જો નુકસાન થયું હોય તો આવા ખેડૂતો આર્થિક દેવાદાર બની જાય છે. નાના ખેડૂતો ખેતીની ઉપજમાંથી પોતાનું ગુજરાત ચલાવતા હોય છે. ઓર્ગેનિક ખેતીમાં ઘણીવાર બે કે ત્રણ વર્ષ સુધી ઉત્પાદન નથી આવતું બે ત્રણ વર્ષ પછી તેનો ફાયદો થતો હોય છે એટલે કે ત્રણ વર્ષ સુધી ખેતીમાં નુકસાની ભોગવવાની રહે છે.
ઓર્ગેનિક ખેતી ના પ્રણેતા, પ્રચાર અને પ્રસાર
આપના દેશમાં Organic Farming નો પ્રચાર પ્રસાર કરી પુનઃ ઋષિમાન્ય પ્રાકૃતિક ખેતીની સ્થાપના થાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે. બીન ખર્ચાળ અને આરોગ્ય પ્રદ ઉત્પાદનો સાથે પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવાના પ્રયત્નો કરનાર આધુનિક કૃષિરૂષિ પદ્મશ્રી સુભાષ પાલેકરજી જેઓ કૃષિ વિજ્ઞાની છે . તેમણે કરેલા પ્રયતનોને આભારી છે . ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી,ગુજરાતના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી ,જગ્ગી વાસુદેવજી અને અનેક મહાનુભાવો એ યોગદાન આપ્યું છે . ગુજરાત વિધાપીઠ દ્વારા પ્રાકૃતિક ખેતી માં Phd ની ડીગ્રી હવે દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જીવામૃત
જીવામૃત બનાવવા માટે જરૂરી સામાન
- દેશી ગાયનું છાણ 10 કિલો
- દેશી ગાયનું ગૌમૂત્ર દેશી ૮થી ૧૦ લીટર
- ગોળ દોઢ થી બે કિલો
- ચણા(કઠોળ)નો લોટ બે કિલોગ્રામ
- પાણી ૧૮૦ લીટર
- ઝાડ નીચેની ચોખી માટી 500 ગ્રામ
જીવામૃત બનાવવા ની રીત
ઉપરોક્ત વસ્તુઓ ને પ્લાસ્ટિકના એક ડ્રમ અથવા ટાંકીમાં નાખી ને લાકડીથી બરાબર હલાવી મિક્સ કરવું .દરરોજ બે ટાઈમ ઘડિયાળના કાંટાની દિશામાં બે બે મિનિટ હલાવવું અને છાંયડામાં કોથળા થી ઢાંકીને રાખવું. અઠવાડિયા જેટલા સમયમાં જીવામૃત તૈયાર થશે. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, જેવા હાનિકારક વાયુનું નિર્માણ થાય છે. તેથી તીવ્ર વાસ આવવાની શરૂઆત પણ થશે તેનો રંગ પણ બદલાશે .હલાવતી વખતે એની વાસ શ્વાસમાં ના જાય એનું ધ્યાન રાખવું .જીવામૃત બન્યા પછી સાત દિવસમાં એનો ઉપયોગ કરવો. શિયાળાના ઠંડા વાતાવરણમાં તેનો પંદર દિવસ સુધી ઉપયોગ કરી શકાય. આ જીવામૃત પિયત સાથે ખેતરમાં આપી શકાય છે. તેનાથી જમીનના ભૌતિક, રાસાયણિક, અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે. ખેતીમાં ચમત્કારી સુધારો થશે. Organic Farming માં જીવામૃત અને ઘન જીવા મૃતનું ખૂબ મહત્વ છે .
જીવામૃત વાપરવાની રીત
ફળઝાડ માં બે થી પાંચ લીટર મહિનામાં એક બે વાર આપી શકાય. જીવામૃત ફળ ની આજુબાજુ ગોળાકારે આપવાનું છે. અને જીવામૃત આપતી વખતે જમીનનો ભેજ હોવો જરૂરી છે. ખેતીના પાકો ઉપર છંટકાવ પણ થઈ શકે છે. ઉભા પાકમાં ૨૧ દિવસના ગાળે ચારથી પાંચ વખત છંટકાવ કરી શકાય.
બીજામૃત બનાવવાની રીત
વાવણી કરતા પહેલા બિયારણની માવજત કરવા માટે બીજામૃત નો પટ આપવો ખૂબ જરૂરી છે. બીજામૃત બનાવવા માટે દેશી ગાયનું છાણ પાંચ કિલો, ગૌમુત્ર 5 લીટર, કળીચૂનો 250 ગ્રામ પાણી 20 લીટર, અને મુઠ્ઠીભર ખેતરની સારી માટી અને થોડો ચૂનો . આ બધા પદાર્થો ને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી રાખો દિવસમાં બે વાર લાકડીથી હલાવી મિશ્રણ કરો .વાવણી પહેલાં બીજની ઉપર બીજામૃત નો છંટકાવ કરીને બીજ ને છાંયડામાં સૂકવી દો . હવે આ બીજ વાવણી માટે તૈયાર છે .
ઘન જીવામૃત
ઘન જીવામૃત બનાવવા માટે જરૂરી સામાન
- 100 કિલો દેશી ગાયનું છાણ
- 1 કિલો ગોળ
- બે કિલો કઠોળ નો લોટ
- થોડું ગૌમુત્ર
ઘન જીવામૃત બનાવવાની રીત
ઉપરના બધા પદાર્થો ને સારી રીતે મેળવી ગૂંદી લેવાના છે જેથી શીરો કે લાડુ જેટલું ઘટ્ટ બને પછી કોથળા થી ઢાંકીને રાખવાનું છે. ત્યારબાદ થોડું પાણી છાંટી બરાબર મસળી લાડવા બનાવો . આ થયું ઘન જીવામૃત . હવે આ ઘન જીવામૃત ના લાડવા ને કપાસ, મરચી, ટામેટા, ભીંડા વગેરેના બિયારણ સાથે જમીન ઉપર રાખવાનું છે. ટપક પદ્ધતિ સિંચાઈ કરવામાં આવતી હોય તો આ લાડવા પર સુકુ ઘાસ રાખીને ઉપરથી થી પાણી આપવું. અથવા આ ઘન જીવા મૃતને હળવા તડકામાં ફેલાવીને સુકવી દેવાનું છે. પછી તેને લાકડીથી કૂટીને બારીક બનાવી કોઠાળા ભરી સંગ્રહ કરી શકાય. આ ધન જીવામૃત 6 માસ સુધી જમીનમાં પણ આપી શકાય છે. તેને છાણીયા ખાતર સાથે મેળવીને પણ આપી શકાય છે. જે ખુબજ સારું પરિણામ આપશે.(Organic Farming)
પાક સંરક્ષણ ના ઉપાયો
નીમાસ્ત્ર બનાવવાની પધ્ધતિ – Neemastra preparation
ખેતીમાં પાક સરક્ષણ ના ઉપાયો ખૂબ મહત્વના છે .જો સમયસર પાક ઉપર થતા ફૂગ જાની રોગો કે ઇયળો વગેરેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવેતો ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે . પ્રાકૃતિક ખેતીમાં પણ પાક સંરક્ષણ માટે અનેક અસરકારક ઉપાયો મોજૂદ છે વળી તે પેસ્ટીસાઇડ પણ નથી . એટલે તૈયાર થનાર પાક સંપૂર્ણ ઓર્ગેનિક અને શુધ્ધ સ્વરૂપે તૈયાર કરી શકાય છે . પ્રાકૃતિક ખેતીમાં બીજ માવજત થી લઈ સંપૂર્ણ પાક સંરક્ષણ ના ઉપાયો વિશે જાણો .
ચુસીયા પ્રકારની જીવાતો અને નાની ઇયળો ના નિયંત્રણ માટે
રીત : ૫ કિલોગ્રામ લીમડાના પાન અથવા પાંચ કિલો સુકાયેલી લીંબોળી 5 લીટર પાણીમાં આખો લીમડો અથવા લીંબોળી નો પાવડર નાખી એમાં પાંચ લીટર ગૌમુત્ર નાખવાનું. એક કિલો ગાયનું છાણ ભેળવવું લાકડીથી બરાબર મિશ્રણ કરી 48 કલાક સુધી ઢાંકીને રાખવું. દિવસમાં ત્રણ વખત હલાવવું ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળી લેવું . હવે આ નિમાસ્ર પાક ઉપર છંટકાવ કરવા માટે તૈયાર છે.
બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત – Brahmastra preparation
મોટી જીવાતો અને ઈયળોના નિયંત્રણ માટે
રીત :૧૦ લીટર ગૌમુત્ર (2) ત્રણ કિલો લીમડાના પાન(3) બે કિલો કરંજ ના પાન, ના મળે તો ત્રણ કિલો લીમડાના પાન (4) બે કિલો સીતાફળ ના પાન (5)બે કિલો ગ્રામ સફેદ ધતુરા ના પાન
હવે આ મિશ્રણને ગૌમૂત્રમાં ભેળવી ઢાંકીને ઉકાળવું આશરે ત્રણ ચાર વખત ઉભરા આવ્યા પછી તેને ઉતારી લેવું 48 કલાક સુધી તેને ઠંડુ થવા દેવું પછી કપડાથી ગાળી ને મોટા વાસણમાં ભરી દેવું. આ થઈ ગયું બ્રહ્માસ્ત્ર 100 લીટર પાણીમાં બે કે 2.5 લીટર અથવા પાંચ લીટર ના પ્રમાણમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરી શકાય છે
અગ્નિ અસ્ત્ર બનાવવાની રીત – agniastra preparation in Guajarati
કપાસના જીંડવા અને તમામ પ્રકારના ફળ પાકોમાં રહેતી મોટીજીવાતો અને મોટી ઈયળ માટે
રીત :20 લીટર ગૌમુત્રમાં ,500 ગ્રામ લીલા મરચાં ખાંડી ને નાખો. 500 ગ્રામ લસણ તેમજ ૫૦૦ ગ્રામ લીમડાના પાન આ બધું ખાંડીને નાખો અને લાકડીથી બરાબર હલાવો. પછી એક વાસણમાં ઉકાળો, આશરે ચાર પાંચ વખત ઉભરા આવ્યા બાદ તેને ઉતારી ઠંડું પાડી દેવું ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળીને એક વાસણમાં ભરી રાખો. સો લીટર પાણીમાં બે કે 2.5 લીટર ના પ્રમાણમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરો .
ફુગનાશક બનાવવાની રીત
રીત :5 લીટર પાણીમાં ત્રણ લીટર ગાયની ખાટી છાસ ભેળવીને પાક ઉપર છંટકાવ કરો. આ ફૂગ નાશક ઘણું સજીવક છે, અને વિષાણુ રોધક છે. ખૂબ જ સારું કામ કરે છે.
દસ પર્ણી અર્ક બનાવવાની રીત
રીત :દસ પર્ણી અર્ક બનાવવા માટે એક પ્લાસ્ટીકનું પીપ અથવા માટીનું વાસણ લઈ આ વાસણમાં 200 લિટર પાણી લો. એમ 10 લીટર ગૌમુત્ર નાખો, બે કિલો દેશી ગાયનું છણ નાખી બરાબર મિશ્રણ કરો. પછી તેમાં પાંચ કિલો ગામ લીમડાની ડાળીઓ ના કટકા કરી નાખો. બે કિલો સીતાફળ ના પાન બે કિલો કરંજ નાં પાન, બે કિલો એરંડાના પાન, બે કિલો ધતુરા ના પાન, બે કિલો બીલીના પાન ,બે કિલો કરેણ ના પાન, બે કિલો બોરના પાન, બે કિલો પપૈયા ના પાન, બે કિલો બાવળ ના પાન, બે કિલો જામફળ ના પાન ,બે કિલો જાસુદ ના પાન ,બે કિલો તેના પાન, બે કિલો બાવચી ના પાન ,બે કિલો આંબાના પાન, બે કિલો કરો ,બે કિલો દેશી કારેલા ના પાન ,બે કિલો ગલગોટા છોડ ના ટુકડા ઉમેરો ,ઉપર જણાવેલ વનસ્પતિઓના પાન માંથી કોઈપણ દસ વનસ્પતિ નાં પાન લેવાનાં છે ત્યારબાદ તેમાં 1 કિલો તમાકુ, 500 ગ્રામ તીખાં મરચાં ની ચટણી, ૨૦૦ ગ્રામ સૂંઠનો પાવડર, 500 ગ્રામ હળદર નો પાવડર. નાખી બરાબર લાકડીથી હલાવવું. હવે આ મિશ્રણને છાંયડામાં રાખી બે વખત સવાર સાંજ લાકડીથી હલાવતા રહેવું. આ મિશ્રણને વરસાદ અને તડકાથી બચાવવું. આ મિશ્રણને તૈયાર થતાં 40 દિવસ જેટલો સમય લાગે છે 40 દિવસ પછી એને કપડાથી ગાળી વાસણમાં ઢાંકીને રાખો. જે છ માસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. 200 લીટર પાણીમાં પાંચથી છ લિટર દસ પર્ણી અર્ક નાખી જીવાતના નિયંત્રણ માટે છંટકાવ કરી શકાય છે.
અગત્ય ની લિન્ક
પ્રાકૃતીક ખેતી ની સરકારી વેબસાઇટ | અહી ક્લિક કરો |
પ્રાકૃતીક ખેતી અંગે વિષેશ જાણકારી | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રૂપ જોઇન કરો | અહી ક્લિક કરો |
Prakrutik Kheti in Gujarati – FAQ’s
ઓર્ગેનિક ખેતી એટલે શું ?
ઓર્ગેનિક ખેતી એટલે કુદરતી રીતે કરવામાં આવતી ખેતી.
ગાય માટે (ગૌ પાલન )માટે કોઈ સહાય મળે છે ?
હા, રાજ્ય સરકાર દ્વારા આ સહાય પેટે માસીક ૯૦૦/- રૂપિયા આપવામાં આવે છે.