શ્રી વાજપાઇ બેંકેબલ યોજના 2023: Shri Vajpayee Bankable Yojana In Gujarat – Loan Yojana In Gujarat

શ્રી વાજપાઇ બેંકેબલ યોજના 2023 | Shri Vajpayee Bankable Yojana In Gujarat : આજે આ આપણે જે યોજના વિષે વાત કરવા જય રહ્યા છે તે યોજના નો લાભ લઈ અનેક નાના કારીગરો અને વ્યવસાયિકો પોતાના ક્ષેત્ર માં ખૂબ જ આગળ વધી ગયા છે.સરકાર દ્વારા અનેક યોજનાઓ નો અમલ કરી આર્થીક રીતે નબળા પરંતુ કઈક નવું અને મોટું કામ કરવાની કલ્પના ધરાવતા લોકો ને સહાય મળે તે માટી આ વાજપેયી બેંકેબલ યોજના અમલમાં લાવેલ છે.

મોબાઈલ માં માહિતી મેળવવા Whatsapp ગ્રૂપ JOIN કરો Join Now
તમામ અપડેટ માટે facebook Page Join કરો Join Now

આ યોજના ગુજરાત સરકાર ના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.આ યોજના થી કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવામાં આવે છે.

અરજી કરો : માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪

Vajpayee Bankable Yojana નો હેતુ

પોસ્ટ ના મહત્વ ના પોઈન્ટ

આ યોજના થી સરકાર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના કારીગરોને આર્થીક રીતે મદદ રૂપ થઈ તેઓને આર્થીક સધ્ધર બનાવવાનો હેતુ છે. આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ ને આ યોજના હેઠળ વધુ નાણાકીય સહાય આપી સ્વરોજગારી માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે.આ યોજનાથી જે પણ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેઓને ખૂબ જ નીચા વ્યાજદર પર બેન્ક લોન આપવામાં આવે છે અને સાથે સબસિડી પણ આપવામાં આવે છે.જેથી આ યોજના થી જરુરીયાત મુજબ નાણાં મળવાથી વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે.

અરજી કરો : ફ્રી સિલાઈ મશીન યોજના

Vajpayee Bankable Yojana માટે જરૂરી પાત્રતા

આ યોજના નો લાભ મેળવવા માટે સરકાર શ્રી અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે. આ મુજબ ની પાત્રતા ધરાવતા તમામ લોકો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.

  • અરજદાર ગુજરાત નો કાયમી નાગરીક હોવો જોઈએ.
  • અરજદાર ની ઉમર 18 વર્ષ થી 65 વર્ષ હોવી જોઈએ.
  • અરજદાર માટે આવક મર્યાદા નથી.
  • અરજદાર ધોરણ 4 સુધી અભ્યાસ કરેલ હોવા જોઈએ.
  • અરજદાર પોતાના ધંધા મુજબ 3 માસ તાલીમ મેળવેલ હોવા જોઈએ
  • 1 માસ સરકારી તાલીમ મેળવેલ હોવા જોઈએ
  • અથવા પોતાના ધંધા નો 1 વર્ષ નો અનુભવ હોવો જોઈએ
  • અથવા વારસાગત કારીગર હોવા જોઈએ.
  • સ્વસહાય જુથ પણ આ યોજના નો લાભ મેળવી શકસે.
  • જેઓ અંધ અને દિવ્યાંગ છે અને આ યોજના દ્વારા પોતાનો વ્યવસાય કરવા માંગે છે તેઓ પણ આ યોજના નો લાભ લઈ શકે છે.

અરજી કરો : ફ્રી ઘર ઘંટી સહાય યોજના

Vajpayee Bankable Yojana ની મર્યાદા

આ યોજના નો લાભ લેવા માંગતા અરજદારો માટે મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

  • આ યોજના નો લાભ માત્ર એક જ વાર મેળવી શકાય છે.
  • સરકાર દ્વારા અમલમાં હોય તેવે અન્ય આવી યોજનાનો લાભ મેળવેલ હોય તેવા અરજદાર ને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહી.
  • આ યોજના માટે બેન્ક નાણાં ધીરતી હોય અરજદાર બેન્ક લોન માટે લાયકાત ધરાવતા હોવા જોઈએ.

વાજપાઇ બેંકેબલ યોજના ની સંપૂર્ણ માહિતી ટૂંક માં

યોજનાનું નામશ્રી વાજપાઇ બેંકેબલ યોજના
ભાષાગુજરાતી અને અંગ્રેજી
આ યોજનાનો હેતુઆર્થીક મદદ આથી તેઓ સ્વરોજગારી ઊભી કરી પોતે અને પરીવાર આત્મનિર્ભર થવા
લાભાર્થીગુજરાત રાજ્ય ના તમામ નાગરીકો પાત્રતા મુજબ
મળવાપાત્ર સહાય ની રકમ લાભાર્થી ને 8.00 લાખ સુધીની બેન્ક લોન આપવામાં આવે છે.
લોન પર મળવાપાત્ર સબસીડીલાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/-
સુધી સબસીડી મળવાપાત્ર થશે.
Official WebsiteClick Here
Online Applyblp.gujarat.gov.in

અરજી કરો : ફ્રી બ્યુટી પાર્લર કીટ મેળવો

Vajpayee Bankable Yojana નો લાભ લેવા જરૂરી ડૉક્યુમેન્ટ

  • આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ
  • સ્કૂલ લીવીંગ સર્ટી
  • બેન્ક પાસ બુક
  • વ્યવસાય અંગે કરાર અથવા અનુભવ પ્રમાણપત્ર
  • જાતી અંગે પ્રમાણપત્ર
  • દિવ્યાંગ ના કિસ્સા માં દિવ્યાંગ પ્રમાણપત્ર
  • સાધન અથવા ઓઝાર ખરીદવાના ભાવ પત્રક અસલ જીએસટી સાથે
  • ઇલેક્ટ્રીક બીલ
  • જો વ્યવસાય નું સ્થળ ભાડા પર હોય તો ભાડાકરાર
  • આ ઉપરાંત કચેરી દ્વારા માંગવામાં આવતા અન્ય ડૉક્યુમેન્ટ

ક્યાં ધંધા માટે કેટલી લોન મળે ?

 ક્ષેત્ર (Service Sector)લોનની મર્યાદા (Minimum Loan)
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector)8 લાખ સુધી
સેવા ક્ષેત્ર માટે (Service Sector)8 લાખ સુધી
વેપાર ક્ષેત્ર માટે (Business Sector)8 લાખ સુધી

લોન પર મળવા પાત્ર સબસીડી

નિયત વિસ્તાર ST/SC?OBC સિવાય અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ કેટેગરી
ગ્રામ્ય વિસ્તાર25%40%
શહેરી વિસ્તાર20%30%
વધુ માં વધુ રૂપિયા 125000 ની સબસિડી મળવા પાત્ર છે.

લોન પર મળવા પાત્ર સબસીડી રૂપિયા

ક્રમક્ષેત્રસબસીડીની રકમની મર્યાદા
(રૂપિયામાં)
1ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector)1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર)
2સેવા ક્ષેત્ર માટે (Service Sector)1,00,000/- (એક લાખ)
3વેપાર ક્ષેત્ર માટે (Business Sector)(1)શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/-, (2) ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે કુલ રૂ.  75,000/- , (3) શહેરી/ગ્રામ્ય બન્નેમાં અનામત કેટેગરી માટે 80,000/-

ક્યાં ક્યાં ધંધા / વેપાર માટે લોન મળવા પાત્ર છે ?

શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ કુલ 17 પ્રકાર ના ધંધા વેપાર માટે લોન મળવા પાત્ર છે જે નીચે મુજબ છે.

ક્રમક્ષેત્રનું નામસંખ્‍યા
1એન્‍જીનિયરીંગ ઉદ્યોગ.53
2કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ.42
3ટેક્ષટાઈલ ઉદ્યોગ.32
4પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ.12
5ખેત પેદાશ આધારિત ઉદ્યોગ.10
6પ્લાસ્ટિક ઉદ્યોગ.22
7ખાદ્ય પદાર્થ ઉદ્યોગ.18
8હસ્તકલા ઉદ્યોગ.18
9જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ.17
10ખનીજ આધારિત ઉદ્યોગ.9
11ડેરી ઉદ્યોગ.5
12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ.6
13ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ.18
14ચર્મોદ્યોગ.6
15અન્ય ઉદ્યોગ.23
16સેવા પ્રકારના વ્યવસાય.51
17વેપાર પ્રકારના ધંધાઓ.53
  કુલ 395

કેવી રીતે શ્રી વાજપાઇ બેંકેબલ યોજના માટે અરજી કરવી? How To Online Apply Shri Vajpayee Bankable Yojana

આ યોજના માટે સરકાર દ્વારા હાલ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેળ છે જેથી હવે આ યોજના માટે ઓફલાઇન અરજી કરવાની જરૂર રહેતી નથી.ઓનલાઈન અરજી કરવાની પધ્ધતી નીચે મુજબ છે.

  • Google Search માં Bankable Scheme Portal ટાઈપ કરવાનું રહેશે.
  • Finance Department ની અધિકૃત વેબસાઈટ Google Search Result માં જોવા મળશે.
  • તમારે https://blp.gujarat.gov.in/  પર ક્લિક કરો
  • જે બાદ બેંકેબલ લોન રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું
  • જો અગાઉ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો નવું રજીસ્ટ્રેસન કરવું
  • જેમાં મોબાઈલ નંબર અને કેપચા કોડ નાખવાથી otp દ્વારા રજીસ્ટ્રેશન થશે.
  • રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ સીટીજન લોગીન પર ક્લિક કરવું
  • Bankable Scheme Portal પર સફળતા પૂર્વક Login બાદ New Application પર ક્લિક કરો
  • જે બાદ Shree Vajpayee Bankable Yojana પર Online Application કરવાની રહેશે.
  • ફોર્મ માં માગ્યા મુજબ Online Applicant Form માં Applicant Details અને Address ની વિગતો ભરવાની રહેશે.
  • આ પછી Scheme Details માં Project Details, Business Details તથા Finance Required ની માહિતી ભરવાની રહેશે.
  •  Detail of Experience / Training ની તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • લાસ્ટ માં Attachment માં Required Documents ની PDF અપલોડ કર્યા બાદ “Submit Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • જે સબમીટ બાદ તમારો અરજી નંબર આવશે જે સાચવી રાખવાનો રહેશ.

અરજી કરવા માટે ની વેબસાઇટ

નવું રજીસ્ટ્રેશન અને લૉગિન કરવા માટે

વાજપાયી બેંકેબલ યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો

વધુ માહિતી માટે સંપર્ક

આ યોજના માટે વધુ માહીતી મેળવવા જિલ્લા ઉધ્યોગ કચેરી નો સંપર્ક કરવાનો રહેશે.

ઉપયોગી વેબસાઇટ અને લિન્ક

1અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
2ફાઇનાન્સ ડિપાર્ટમેંટ પોર્ટલ અહી ક્લિક કરો
3શ્રી વાજપાઇ બેંકેબલ યોજના માટે નવી અરજી કરવા માટે લિન્ક અહી ક્લિક કરો
4શ્રી વાજપાઇ બેંકેબલ યોજના માટે લોગીન અહી ક્લિક કરો
5કુટીર અને ગ્રામઉધ્યોગ ની ઓફીસીયલ વેબસાઇટ અહી ક્લિક કરો
6આ પોસ્ટ નું મથાળૂ અહી ક્લિક કરો

FAQ’S – વાજપાઇ બેંકેબલ યોજના વિષે વારંવાર પૂછાતા પ્રશ્નો

Vajpayee Bankable Yojana યોજના માં કઈ શહાય મળે છે ?

આ યોજના ના લાભાર્થી ને લોન સહાય મળે છે.

Vajpayee Bankable Yojana માટે કેટલી સહાય મળવા પાત્ર છે ?

આ યોજના હેઠળ વધુ માં વધુ 8.00 લાખ લોન મળવા પાત્ર છે.

Vajpayee Bankable Yojana નો લાભ કોને મળવા પાત્ર છે ?

લાયકાત ધરાવતા ગુજરાત ના નાગરીકોને આ લાભ મળવા પાત્ર છે.

વાજપાઈ બેંકેબલ યોજના કયા વિભાગ અને કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે?

આ યોજના કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર દ્વારા અને જિલ્લા ખાતે “જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર”  દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

વાજપાઈ બેંકેબલ યોજના ની ઓનલાઈન અરજી માટે ક્યું પોર્ટલ બનાવવામાં આવેલ છે?

આ યોજના માટે ગુજરાતના Finance Department દ્વારા “Bankable Scheme Portal” બનાવેલ છે, જેમાં શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

Leave a Reply

%d bloggers like this: